જામનગરના લાલપુરમાં રખડતા શ્વાનનો આતંક યથાવત! હડકાયા શ્વાને 12 લોકોને ભર્યા બચકાં

Contact News Publisher

જામનગરના લાલપુરમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. એક જ રાતમાં એક 12 લોકોને શ્વાને બચકાં ભરી લેતાં લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.લાલપુરમાં હડકાયા શ્વાને 12 લોકોને બચકાં ભરતાં લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જેમાં સૌથી વધુ બાળકોનો સામેલ છે. હડકાયા શ્વાને બાળકો અને યુવકોના મોઢા અને શરીરના અન્ય ભાગે બચકાં ભર્યાં છે. એક યુવકને તો આંખ પર જ બચકું ભર્યું છે. આતંક મચાવનાર શ્વાનને પકડવા તંત્ર કામે લાગ્યું છે. બીજી તરફ શહેરીજનોમાં ભય ફેલાયો છે.