તથ્યની કારની અડફેટે આવેલો જય ચૌહાણ 70 દિવસ બાદ પણ પથારીવશ, લાખો ખર્ચ્યા પણ પરિણામ શૂન્ય, પરિવારે કહ્યું દીકરાની પીડા નથી જોઈ શકાતી

Contact News Publisher

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ હાલ જેલમાં છે. ત્યારે આ ગમખ્વાર અકસ્માતમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્થ થયા હતા. ત્યારે અ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલો યુવક હજુ પણ કોમામાં છે. તથ્યની કારની અડફેટે આવેલો જય ચૌહાણ 70 દિવસ બાદ પણ પથારીવશ છે. 70 દિવસની સારવારમાં લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં પરિણામ શૂન્ય છે.