પાકિસ્તાનમાં ગેરકાયદેસર રહેતા અફઘાનીઓને 31 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવા આદેશ, 17 લાખ લોકોને થશે અસર

Contact News Publisher

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે માન્ય દસ્તાવેજો વગર ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં રહેતા અફઘાન લોકોને 31 ઓક્ટોબર પહેલા સ્વેચ્છાએ દેશ છોડી દેવા માટે અલ્ટીમેટમ આપી દીધુ છે.પાકિસ્તાનમાં રહેતા 11 લાખ નહીં બલ્કે 17 લાખ અફઘાન શરણાર્થીઓને દેશ નિકાલ કરવાનુ નક્કી કર્યુ છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ટકરાવ બાદ હવે પાકિસ્તાને પોતાના દેશમાં રહેતા અફઘાન નાગરિકોને દેશમાંથી રવાના કરવા માટે કવાયત શરૂ કરી છે.