બાપ રે! આણંદમાં એક જ સપ્તાહમાં રખડતા શ્વાને 78 લોકોને બચકાં ભર્યા, હાઈકોર્ટના આકરા વલણ બાદ પણ પરિણામ શૂન્ય
આણંદમાં એક વિચિત્ર અને ચેતવણીજનક ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, આણંદમાં રખડતાં શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દરમિયાન હવે એક જ સપ્તાહમાં આણંદમાં રખડતાં શ્વાનોએ 78 લોકોને બચકાં ભર્યા હોવાનું સામે આવ્યું છે. આ તરફ પાલિકા દ્વારા પણ રખડતાં શ્વાનને લઈ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
આણંદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં રખડતા શ્વાનના આતંકને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં એક જ સપ્તાહમાં રખડતાં શ્વાને એક-બે નહીં પણ 78 વ્યક્તિઓને બચકાં ભર્યાનું સામે આવ્યું છે. જેને લઈ તમામ લોકોએ તાત્કાલિક સારવાર લેવાની ફરજ પડી હતી. આ તરફ પાલિકા દ્વારા રખડતાં શ્વાનને લઈ કોઈ કાર્યવાહી નહિ થતી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે આણંદના શહેરીજનો પરેશાન બન્યા છે.