રેલવે સ્ટેશન પાસેની હોટલમાં ભીષણ આગથી 6થી વધારે ભડથું, ભારે અફરાતફરી, ક્રેનથી બચાવાયાં

Contact News Publisher

બિહારના પટણા રેલવે સ્ટેશન પાસે આવેલી પાલ હોટલમાં ગુરુવારે ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં છ લોકોના મોત થયા હતા. પાલ હોટલમાં લાગેલી આજુબાજુની હોટલોમાં પણ ફેલાઈ હતી અને ત્યાં પણ બધુ ખાખ કરી નાખ્યું હતું. આગ એટલી ભીષણ હતી કે નીચે પાર્કિંગમાં પડેલી 6 ગાડીઓ પણ સળગીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગ્યાંના અડધા કલાકમાં તો આખી બિલ્ડિંગ ધૂમાડાથી ભરાઈ ગઈ હતી. આજુબાજુમાં ઘણી હોટલો આવેલી છે ત્યાં પણ આગ ફેલાતાં ભારે અફરાતફરી મચી હતી. આગના સમયે હોટલમાં ઘણા લોકો હતા તેમને તાબડતોબ બહાર કાઢી લેવામાં આવ્યાં હતા.

Exclusive News