નખત્રાણાના મંગવાણા નજીક ગમખ્વાર અકસ્માત, 3 ના ઘટના સ્થળે જ બળીને કરૂણ મોત..
Contact News Publisher
પ્રાપ્ત વિગતો અનુસાર નખત્રાણાના મંગવાણા નજીક ડમ્પર અને બોલેરો જીપ વચ્ચે સાંજના સમયે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓ જીવતાં જ બળી ગયા હોવાના સમાચારો મળી રહ્યા છે. ત્રણેય મૃતકો નખત્રાણાની નિરમા સાબુની એજન્સીના કામકાજ સાથે સંકળાયેલાં હોવાનું બહાર આવ્યું છે. આજે સાંજે બંને વાહનો વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયા બાદ બંને વાહનમાં ભીષણ આગ ભભુકી ઉઠી હતી.
જીપમાં બેઠેલાં ત્રણેય જણાંને બહાર નીકળવાની જ તક મળી નહોતી અને ત્રણેય જીપમાં જ ભડથું થઈ ગયા હોવાનું નજરે જોનાર સાક્ષીઓએ જણાવ્યું છે. કાંકરી ભરેલું ડમ્પર મંગવાણાથી આવતુ હતુ અને જીપ મંગવાણાથી ગઢશીશા તરફ જતી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હોવાનું બહાર આવ્યું છે. બનાવ અંગે સત્તાવાર વિગતોની રાહ જોવાય છે.