‘CAA ક્યારેય પરત નહીં લેવામાં આવે’: અમિત શાહ

Contact News Publisher

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કરી દીધુ છે કે CAA કાયદો ક્યારેય પરત લેવામાં નહી આવશે. તેમણે કહ્યું કે દેશમાં ભારતીય નાગરિકતા સુનિશ્ચિત કરવી એ અમારો સાર્વભૌમ અધિકાર છે અને અમે તેની સાથે ક્યારેય સમાધાન નહીં કરીશું. શાહે કહ્યું કે CAA મોદી સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે અને તેને પરત લેવો અસંભવ છે. તેમણે વિપક્ષી નેતાઓ પર તુષ્ટિકરણની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.