INDvsPAK: મેચ પૂર્ણ થતાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઇ જશે ‘કચરામુક્ત’, રાતના 2 વાગ્યા સુધીમાં 60 કર્મચારીઓ ખૂણે-ખૂણે ફરી વળશે

Contact News Publisher

આજે ભારત અને પાકિસ્તાન એ બે પરંપરાગત ક્રિકેટ જંગના કટ્ટર હરીફો વચ્ચે મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની દિલધકડ મેચ રમાઈ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચે હજારો અમદાવાદીઓમાં દિવસો અગાઉથી ભારે ઘેલું લગાડ્યું હતું. આ મેચની ટિકિટ મેળવવા માટે ક્રિકેટ રસિયા રીતસરના ગાંડા બની ગયા હતા, જેના કારણે લેભાગુ તત્વોએ નકલી ટિકિટના પણ કાળાબજાર કરીને પોતાના ખિસ્સા ગરમ કર્યા છે. આવા ઉત્તેજનાના હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો પણ જડબેસલાક તૈયારીમાં લાગ્યા છે.