‘અમે શ્રીરામની મર્યાદા પણ જાણીએ છીએ અને સીમાઓની રક્ષા પણ’- રામલીલામાં બોલ્યાં PM મોદી
Contact News Publisher
અસત્ય પર સત્યના વિજયના પ્રતિક બનેલા એવા વિજયા દશમી (દશેરા) પર્વની દિલ્હી સહિત સમગ્ર દેશભરમાં ભારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. વિજયા દશમીના તહેવારમાં રાવણના પૂતળા બાળકનો રિવાજ છે. આ વખતના દશેરામાં પણ દિલ્હી સહિત દેશમાં અનેક ઠેકાણે રાવણના પૂતળાના દહન કરાયું હતું.
દિલ્હીના દ્વારકામાં આવેલા રામલીલા મેદાનમાં પ્રધાનમંત્રી મોદીએ દશેરા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સૌથી પહેલા પીએમ મોદીએ નાટક મંડળીમાં રામ-લક્ષ્મણ અને સીતા બનેલાની આરતી ઉતારી હતી. ત્યાર બાદ સામે ઊભા કરવામાં આવેલા રાવણના વિશાળ પૂતળાને આગ ચાંપી હતી. આગ ચાંપતા જ રાવણનું પૂતળું ભડભડ કરતું સળગી ઉઠ્યું હતું.