EVM પર સુપ્રીમકોર્ટને ભરોસો..VVPAT વેરિફિકેશનની તમામ અરજીઓ ફગાવી

Contact News Publisher

EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને આજે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને કેટલાક અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં EVM સાથે VVPAT સ્લિપનું 100 ટકા મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે VVPATને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આજે EVMની સાથે VVPAT નો ઉપયોગ કરીને પડેલા મતોની સંપૂર્ણ ક્રોસ-વેરિફિકેશનની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) સંગઠન અને અન્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેમાં EVM સાથે VVPAT સ્લિપનું 100 ટકા મેચિંગ કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ કરવામાં આવેલી અનેક પીઆઇએલ પર પોતાનો ચુકાદો આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે VVPAT સંબંધિત તમામ અરજીઓ ફગાવી દીધી છે, જેમાં બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગણી કરતી અરજીઓ પણ સામેલ છે. ચૂંટણી પંચે કોર્ટેને કહ્યું હતું કે EVM અને VVPATમાં કોઈ ચેડાં શક્ય નથી. કમિશને મશીનોની સુરક્ષા, તેમની સીલિંગ અને તેમના પ્રોગ્રામિંગ વિશે પણ સર્વોચ્ચ અદાલતને જાણ કરી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે આ કેસમાં બે ચુકાદા આપ્યા. સુપ્રીમ કોર્ટે બે નિર્દેશો આપ્યા છે – પહેલો એ છે કે સિમ્બોલ લોડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા પછી, સિમ્બોલ લોડિંગ યુનિટ્સ (SLUs) સીલ કરવામાં આવે અને તેને ઓછામાં ઓછા 45 દિવસ સુધી સંગ્રહિત કરવામાં આવે. આ ઉપરાંત, બીજી સૂચના એ છે કે ઉમેદવારો પાસે પરિણામ જાહેર થયા પછી એન્જિનિયરોની ટીમ દ્વારા ઇવીએમના માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામની ચકાસણી કરવાનો વિકલ્પ હશે. આ માટે ઉમેદવારે પરિણામ જાહેર થયાના સાત દિવસમાં અરજી કરવાની રહેશે. તેનો ખર્ચ ઉમેદવારે પોતે ઉઠાવવાનો રહેશે.
અગાઉ, બે દિવસની સતત સુનાવણી પછી, બેંચે 18 એપ્રિલે અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. જોકે, બુધવારે સુપ્રીમ કોર્ટે આ મામલાને ફરીથી લિસ્ટ કર્યો હતો. ત્યારે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી કેટલીક બાબતો અંગે સ્પષ્ટતા માંગી હતી. જે બાદ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. ચુકાદો અનામત રાખતી વખતે, સર્વોચ્ચ અદાલતે ટિપ્પણી કરી હતી કે તે ચૂંટણીને નિયંત્રિત કરી શકતી નથી, ન તો બંધારણીય સંસ્થા માટે નિયંત્રણ સત્તા તરીકે કામ કરી શકે છે. ખોટું કરનારને પરિણામ ભોગવવા માટે કાયદા હેઠળ જોગવાઈઓ છે. અદાલત માત્ર શંકાના આધારે આદેશ આપી શકે નહીં.
કોર્ટે કહ્યું કે તે એવા લોકોની વિચાર પ્રક્રિયાને બદલી શકશે નહીં જેઓ વોટિંગ મશીનના ફાયદા પર શંકા કરે છે અને બેલેટ પેપર પર પાછા ફરવાની હિમાયત કરે છે. આ સિવાય બુધવારે નિર્ણય અનામત રાખતી વખતે બેંચે નાયબ ચૂંટણી કમિશનર નીતિશ વ્યાસને કોર્ટમાં બોલાવ્યા હતા અને પાંચ મુદ્દાઓ પર સ્પષ્ટતા માંગી હતી. કોર્ટે કહ્યું, અમે EVM વિશે વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) જોયા છે. અમે ત્રણ-ચાર બાબતો પર સ્પષ્ટતા ઈચ્છીએ છીએ. અમે હકીકતમાં ખોટા બનવા માંગતા નથી પરંતુ અમારા નિર્ણયની બમણી ખાતરી કરવા માંગીએ છીએ અને તેથી આ સ્પષ્ટતા માંગીએ છીએ. ખંડપીઠે જે પાંચ પ્રશ્નોના જવાબો માંગ્યા હતા તેમાં EVMમાં સ્થાપિત માઇક્રોકન્ટ્રોલર રિપ્રોગ્રામેબલ છે કે કેમ તે સામેલ છે.