માંડવી-સલાયાના જહાજમાં શોર્ટ સર્કિટથી આગ : અરબ અમીરાતના શારજહા પોર્ટ પર બન્યો બનાવ

Contact News Publisher

શારજહાથી યમન કાર ભરીને જતા માંડવી-સલાયાના જહાજમાં સંયુક્ત અરબ અમીરાતના શારજહા અલ ખાન પોર્ટ પર આગ લાગી હતી. મોડી રાત્રે 10 વાગ્યે જહાજમાં આગનો બનાવ બન્યો હતો. આગ પર કાબૂ મેળવ્યા બાદ રેસ્ક્યૂ ટીમ તેને કૂલિંગ કરવાની કામગીરી કરી હતી.
સલાયાના અબ્દુલ મજીદ કાસમ અલ મજીદ જહાજમાં યમન જવાની તૈયારીમાં હતો ત્યારે શોર્ટસર્કિટ થવાથી જહાજમાં આગ લાગી હતી. જહાજમાંથી ક્રૂમેમ્બરોએ કૂદીને જીવ બચાવી લીધા હતા. કોઈ જાનહાનિ થઈ ન હતી. આગને પગલે જહાજ માલિકને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. માંડવી સલાયાના જહાજ ઉદ્યોગ પર પડ્યા પર પાટુ પડ્યો હોય તેવા ઘાટ જહાજમાં આગ લાગતા સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *