જખૌ બંદરે ફસાયેલા માછીમારો પોતાના વતન ભણી રવાના થયા

Contact News Publisher

પશ્ચિમ છેવાડાના મત્સ્યબંદર જખૌમાં ફસાયેલા માછીમારોને પોતાના વતન જવા માટે જિલ્લાના વહીવટ તંત્રે ૧૦ જેટલી એસ.ટી. બસો રવાના કરી હતી. જખૌ બંદરે લાંબા સમયથી માછીમારો પોતાના વતનમાં જવાની પ્રતીક્ષા કરી રહ્યા હતા.

સોમનાથના ધારાસભ્યની રજૂઆતને પગલે આખરે જિલ્લા કલેકટરના આદેશ પછી જખૌ બંદરેથી ૧૦ બસો રવાના કરાઇ હતી. નલિયા ડેપોની પાંચ અને માંડવી ડેપોની પાંચ બસોમાં અંદાજિત ૫૦૦ જેટલા માછીમારો પોતાના વતન વેરાવળ, દ્વારકા, જામનગર, વલસાડ વગેરે સ્થળે જવા મધરાત્રે રવાના થયા હતા. હજી ઘણા બધા માછીમારો જખૌ બંદરે છે તેઓ પણ પોતાના વતન પહોંચવાની પ્રતીક્ષા કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *