પયગંબર સાહેબના અસુલ ઉપર ચાલે છે અને જેઓ અમન શાંતિ ઈચ્છે છે એ તમામ મુસલમાનોને ઈદ મુબારક…

Featured Video Play Icon
Contact News Publisher

આજે એક વીડિયો જોયો

https://youtu.be/8AXahv1ZXbc

જેમાં અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ , સેનાનાં વડા અને દેશનાં ટોચનાં લોકો નમાજ પઢી રહ્યા હતા અને એની બાજુમાં જ રોકેટ હુમલો થયો,

જયારે બીજી બાજુ ઈરાકમાં પણ થયેલા બૉમ્બ બ્લાસ્ટની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ સમૂહે લીધી , IS એ જણાવ્યું કે અબુ હમજા અલ નામનાં હુમલાખોરે ઈરાકનાં બગદાદ શહેરમાં ભયાનક વિસ્ફોટ કર્યો ,જેમાં 30 નાં મોત, અને 35 ઘાયલ થયા.

અફઘાનિસ્તાનમાં આતંકીઓએ રોકેટ હુમલો કર્યો ત્યારે બાજુમાં જ નમાજ ચાલુ હતી ,એક તરફ અફઘાનિસ્તાનનાં કાબુલમાં રોકેટ હુમલો થાય છે અને બીજીતરફ અફઘાનિસ્તાન રાષ્ટ્રપતિ અશરફ ગની, સેનાનાં વડા, દેશના અગ્રણીઓ નમાજ પઢી રહ્યા છે ,
એકાદ બે ને બાદ કરતાં કોઈ હલતું પણ નથી !

પણ આ મુસ્લિમોનું અલ્લાહ પ્રત્યેનું સમર્પણ કહો કે શ્રદ્ધા – એકાદ બે ને બાદ કરતાં કોઈ ત્યાંથી હલતું નથી, રોકેટ હુમલાનાં ભયાનક ધડાકા સંભળાય છે , પણ અહીં નમાજ પણ ચાલુ જ રહે છે.

મિત્રો આતંકીને કોઈ ધર્મ હોતો નથી, આ હુમલો કરનાર મુસલમાન છે , મરનાર પણ મુસલમાન છે.

હઝરત મહંમદ પયગમ્બરનું યુદ્ધ કહો કે લડાઈ એ એમનાં જ સગા સંબંધિઓ સાથે, એટલે કે મુસલમાનો સાથે જ થયેલી.

પાંડવોનું યુદ્ધ પણ એમનાં સગા સંબંધિઓ સાથે એટલે કે કૌરવો સાથે થયું.

આ હિન્દૂ મુસ્લિમ નાં ડખ્ખા છે એનાં કરતાં વધારે દેખાડીને અમુક રાજકીય લોકો પોતાનો રોટલો શેકી રહયા છે , જેનાથી હિન્દૂ અને મુસ્લિમો બનેને સાવધાન રહેવાની અને આવા તત્વોને જાકારો આપવાની જરૂર છે 

અંતમાં સૌ જેઓ પરવર દિગારમાં સાચી શ્રધ્ધા ધરાવે છે- પયગંબર સાહેબના અસુલ ઉપર ચાલે છે અને જેઓ અમન શાંતિ ઈચ્છે છે એ તમામ મુસલમાનોને ઈદ મુબારક…

 

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : Youtube / fb / instagram 

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *