” કચ્છ ભાજપના કયા પીઢ નેતાની દોરવણી થી કોઈ ભોળા – મૂરખ વ્યક્તિએ BJP મોવડી મંડળને આ પત્ર લખ્યો છે ” ?
મહાભારતમાં પ્રસંગ છે કે ધૃતરાષ્ટ્ર પોતાનાં પુત્ર પ્રેમમાં આંધળા થઈને કેટલી મોટી ભૂલો કરી બેસે છે , પરિણામ એ આવે છે કે અંતે પુત્રો જ પોતાનાં હાથમાંથી નીકળી જાય છે અને અંતે સંસ્કાર સિંચનનાં અભાવે તમામ પુત્રો મોતને ભેંટે છે!
મહાભારત શાશ્વત છે , પાંચ હજાર વર્ષ પહેલાં જ મહાભારત થઈ એવું નથી , આજેય 2021 માં પણ મહાભારત છે; ઘરમાં , સમાજમાં , ધંધામાં અને રાજકારણમાં.
આજે ચર્ચા રાજકારણની જ કરીએ, કારણ કચ્છમાં હાલ BJP ઉપર જાણે પનોતી બેઠી હોય એમ આંતરિક જૂથવાદ જે સુસુપ્ત હતો તે 2022 ની ચૂંટણી નજીક આવતાં સળવળાટ કરવા લાગ્યો છે.
અહીં એક નનામા પત્રનાં 2 પાનાં મુકું , એને આપ વાંચો એ પહેલાં આપને સચેત કરવા માગું છું , કારણ આપણે કચ્છી માડુ ભોળા કહેવાઈએ, ” ડેસા એટલો જ વેસા ” પછી એમાં ઊંડા ઉતરવાની તકલીફ આપણે નથી લેતાં, પણ ‘ ઐ ચેંધા મ કર્યો , આંજી ચેંધા આઉં કરી ગેનાતો ‘
હા , પત્રમાં ની એક એક લીટીમાં મહાભારત છે , રાજકારણ છે .
હું આ સ્ટોરી નું ટાઈટલ, એટલે કે મથાળું જ એ આપીશ – ” કચ્છ ભાજપના કયા પીઢ નેતાની દોરવણી થી કોઈ ભોળા – મૂરખ વ્યક્તિએ BJP મોવડી મંડળને આ પત્ર લખ્યો છે ” ?
એક એક શબ્દને પકડશો, કચ્છ ભજપનાં પીઢ નેતા – હા એ ચોક્કસ છે કે આ પત્ર લખ્યો કોઈ મૂરખ કે ભોળા વ્યક્તિએ લખ્યો છે , પણ એ કલમને પાછળથી પકડી કોઈ પીઢ નેતાએ છે !
કોઈ સમજુ વ્યક્તિ પાસેથી આવું કામ કરાવી શકાય નહીં, કારણ એ આજ નહીં તો કાલ ભાંડો ફોડી નાંખે, એટલે નનામા પત્ર માટે પસંદગી કરાઈ છે કોઈ મૂર્ખની.
હવે આવીએ પત્ર ઉપર.
ઉપર જ પ્રથમ વાત મહાભારતની કરી , પુત્ર પ્રેમ – હા એટલું ચોક્કસ છે કે આ પત્રમાં પણ પુત્ર પ્રેમ છલકી રહ્યો છે , અને એ 2021 નો અંધ ધૃતરાષ્ટ્ર પોતાનાં કપૂતને ડિસ્પ્લે કરવા આવી હલકી સ્થિતિ સુધી જઈ પહોંચ્યા છે.
કચ્છ ભાજપનાં કોઈ નેતાને છોડવામાં નથી આવ્યા, આ તો ઓલો તાલ થયો – ” ઐ મેડે છેણ , ને આઉં અતર જી બોટલ ! “
પત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઇને સંબોધીને લખાયો છે.
હવે આવીએ નીચે :-
: ખૂબ લાંબા સમયનાં ચિંતન બાદ પાર્ટીનાં હિત માટે પત્ર લખી રહ્યા છીએ…
હવે અહીં અટકીએ , જોયું અહીં લખ્યું છે કે પત્ર લખી રહ્યા છીએ..
એટલે કોઈ એકની કરતૂત નથી.
આગળ વધીએ તો,
: નલિયા કાંડ થી છબીથી ભાજપની છબી ખરડાઈ એવું લખાયું છે.
જયંતી ભાનુશાલી કાંડ , બે ત્રણ નાના કાંડ , વાસણ કાંડ , અને હવે મુન્ના કાંડ !
એટલે અમે સૌ પાર્ટીનાં હિતેચ્છુ ને લાગ્યું કે આપને આ કાંડ ની આપને સાચી હકીકત ની જાણ કરીએ , જેથી આપ ઉચ્ચ કક્ષાએ પગલાં લઈને પાર્ટીને થતું નુકસાન આપશ્રી બચાવો.
એક વાત ચોક્કસ છે કે હાલ જે કચ્છ bjp હોદેદારો અને સક્રિય નેતાઓ પૈકી કોઈ પણ આ પત્ર લખવામાં નહીં હોય.
આગળ વધીએ તો..
: થોડાં સમય થી દિલીપો નું રાજ ચાલે છે , એટલે દિલીપ ત્રિવેદી અને દિલીપ દેશમુખ બંનેય ખરાબ !
સાંસદ ને પણ બાકાત નથી રખાયા ,
લખ્યું છે કે સાંસદ ને મહામંત્રી બનાવવાની શું જરૂર હતી , એ મહામંત્રી માટે લાયક નથી!
જોયું આ લખવામાં કોઈ મૂર્ખનું કામ નથી , ચોક્કસ એની પાછળ કોઈ પુત્ર પ્રેમમાં આંધળા પીઢ નેતાનો હાથ અને દિમાગ બેય છે.
દિલીપ દેશમુખનું લીવર ટ્રાન્સપ્લાન્ટ મુદ્દે સાઈકલ યાત્રા નું અભિવાદન અને પુસ્તક વિશે પણ ચોંટીયો ભરાયો છે , એટલે ભલે પત્રમાં રાહુલ નો ઉલ્લેખ ન હોય , પણ મુકવામાં તો રાહુલને પણ નથી આવ્યો !
હવે વધીએ આગળ…
: મુન્ના કાંડ માં મુન્ના ને સ્પોર્ટ પ્રદીપસિંહ વાઘેલા , વિનોદ ચાવડા , અને દિલીપ દેશમુખનો રહ્યો છે.
એટલે પત્ર પાછળનાં નેતાને તકલીફ તો બધાથી લાગે છે,
કોણ છે એ નેતા ?
અરે ભાઈ શું બધું અમને જ કહેવાનું , થોડો મગજ આપ પણ વાપરો…
ચાલો આગળ વધીએ.
: કચ્છમાં ખનીજ ચોરીમાં પણ મુન્નો , વિનોદ ચાવડા અને પ્રદીપસિંહ વાઘેલા આ ત્રણેયની ત્રિપુટી છે.
ભાઈ એક વાત સ્પષ્ટ છે આવું લખવું અને નામ પણ જાહેર કરવું , એટલી હિંમત તો કચ્છનાં કોઈ નેતા માં ક્યાંથી કાઢવી … એટલે જ નનામો પત્ર લખાયો.
અંત તરફ વધીએ…..
: પ્રદેશની ધમકી આપીને વાઘેલા કચ્છનાં એક ઔદ્યોગિક એકમ પાસેથી 32 કરોડનો વ્યવહાર જમીન પાસ કરાવવા માટે કરેલ છે , અને એની ફરિયાદ આપ (મોદી સાહેબ અને શાહ સાહેબ ) સુધી ગઈ છે એવા સમાચાર કચ્છમાં છે…
વાહ , જોયુ કેટલી બધી ડિટેઈલ ભેગી કરી છે , આ તો અંદર ની વાતો બહાર આવી ગઇ,
કચ્છી કહેવત યાદ અચી વૈ –
” પેટે ધી , ને શેખે નો….”
દુઃખ તો સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીમાં ટિકી ન મળવાનું પણ હોઈ શકે છે…
પત્રનું પહેલું પાનું ફરી વાંચો :
: કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં તેઓએ (સાંસદ વિનોદ ચાવડા )એ પોતાના મળતીયાઓને ટીકીટ અપાવી અને પદ પણ અપાવ્યા , જેથી કચ્છનાં કાર્યકર્તાઓમાં નારાજગી છે.
હવે શોધવાનું કામ આપ વાચક મિત્રોનું કે કોણ કાર્યકર્તા નારાજ થયા છે.
આપણે એમ થશે કે જિલ્લા પ્રમુખ કેશુબાપા કેમ હજુ સુધી ન આવ્યા !
તો લ્યો એય આવ્યા..
: ઉપરોક્ત તમામ વાતની જાણ કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ છે , પણ આ લોકોએ તેઓને પણ સાચવી લીધા છે ….
પૂર્વ થી પશ્ચિમ ,
ઉત્તર થી દક્ષિણ,
દિલીપ ત્રિવેદી થી દિલીપ દેશમુખ,
મુન્ના થી વાઘેલા,
ચાવડા થી કેશુબાપા,
વાસણભાઇ થી જયંતીભાઈ…
નામ જાહેર કર્યા વગર રાહુલ થી અનેક કાર્યકર્તાઓ..
બધા જ ખરાબ,
અને ” આઉં હેકડો જ સચો ને ખાસો…”
ભાઈ આને કહેવાય મહાભારત….
હવે જોવાનું એ રહ્યું કે આ મહાભારત કચ્છમાં BJP ને ડૂબાડશે કે ઉગારશે ?
પત્ર લખનાર ઉઘાડો થશે કે બધું જોઈને રાજી થયા કરશે ?
સવાલો અનેક છે , જવાબ તો શ્રી રામ જાણે અને પત્ર લખનાર જાણે…
છેલ્લે નનામો પત્ર લખનાર મોદી સાહેબ અને શાહ સાહેબને પણ સલાહ આપી દીધી છે, જુઓ…
: હાલ આપ કેન્દ્રમાં બેઠા છો , પણ આપનાં નામે પાર્ટી ચાલી રહી છે, હાલ સમય સારો છે ત્યાં સુધી વાંધો નથી, પણ આવી જ પરિસ્થિતિ રહી તો કચ્છ ગુમાવવાનો વારો આવી શકે છે. જેથી આપણાં કચ્છને બચાવવા આપનું ધ્યાન દોર્યું છે.
હવે સવાલ એ છે આ પત્ર શુ ભાજપનાં જ કોઈ નેતા કે કાર્યકર્તાએ કે કાર્યકર્તાઓએ લખ્યો છે ?
શું આ પત્ર દિલ્હી સુધી પહોંચ્યો છે કે પહોંચશે ?
શું પત્ર પહોંચ્યા બાદ એનાં ઉપર ગંભીર વિચાર કરાશે કે કચરા ટોપલીમાં ફેંકી દેવાશે..?
સવાલ અનેક છે,
પણ જવાબ એક જ છે;
કચ્છ ભાજપ માં ડખ્ખો છે , મહાભારત છે.
છેલ્લે દડે છક્કો : શક્ય છે કે આ પત્ર ભાજપનાં કોઈ નેતા કે કાર્યકર્તાએ ન પણ લખ્યો હોય , પણ જે લખાયું છે એ સંપૂર્ણ ખોટું નથી , પણ એમાં ક્યાંક તો ” મોહ ” ની ગંધ આવ્યા વિના રહેતી નથી.
Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા
maa news live : Youtube / Dailyhunt /
Fb / instagram / Twitter / Telegram
9725206123 to 37 (15 cug number)
Whatsapp : 9428748643