દેશદેવી મા આશાપુરાના દર્શનને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ, કચ્છ જિલ્લાના રસ્તાઓ પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
Contact News Publisher
અશ્વિન નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તો બીજી તરફ આ નવરાત્રી દરમિયાન હજારોની સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા તેમજ વાહન મારફતે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ એવા માતાનામઢ ખાતે દેશદેવી મા આશાપુરા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પહોંચી રહ્યા છે. અત્યારે જિલ્લાના તમામ માર્ગો જાણે મઢ તરફ જતા હોય એવો નજારો જોવામાં મળી રહ્યો છે, જે જોતા વિષમ હવામાનની પરિસ્થિતિ પણ શ્રદ્ધાળુઓના મનને ડગાવી શકે એમ નથી એવું લાગી રહ્યું છે. પૂર્વથી પશ્ચિમ સુધીના માર્ગો પર દર એક કિલોમીટર ભાવિકો યાત્રિકોની સેવામાં લીન જોવા મળી રહ્યા છે.